સુવિચાર ;-
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે
તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના
રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ
માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર
કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ
પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના
કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ
ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન
વાપરો.
–ખલીલ જિબ્રાન
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે
કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા
તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ
નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે
જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ
આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી
પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી
અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર
છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ
માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં
થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં
તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી
નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય
તો તે આપણી જાત છે.
–લાઈટૉન
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ
દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા
સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે
ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી
પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ
ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને
બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને
આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે
જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ
માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી
સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને
હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ
વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની
જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય
હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું
ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
–મધર ટેરેસા
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને
સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે.
તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર
તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું
જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની
સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન
નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ
હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા
કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
–ચાલટેન હેસ્ટન
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે
તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો
અભાવ જ જીવનનું અવસાન છે.
–વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે
માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ
દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ
આપવાની શક્તિ રહેલી હોય છે.
–જોન ફ્લેયર
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે
શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.