સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, January 11, 2013

ધર્મ અને વિજ્ઞાન

ધર્મ સારો કે વિજ્ઞાન?
આ જગત માં હાલ સુખ ભોગવવુ સારુ કે પરલોકમાં (સ્વર્ગલોકમાં) જવા
આ લોકમાં તપ કરી દુ:ખ ભોગવવુ સારુ?
છેલ્લા થોડાક વર્ષો થી આપણે વિજ્ઞાન ને ધર્મ કરતા વધુ મહત્વ આપતા થયા છીએ.
શ્ચિમ જગતે આવુ ઘણા સમય પહેલા શરુ કર્યુ હતુ.   તેના ફળ તેઓને અત્યારે આ જગતમા મળી રહ્યા છે.
ધર્મ અને વિજ્ઞાન
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
તિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિધ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
શ્ચિમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનિ અભીગમથી બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
શ્ચિમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું લોકમાં;
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે , છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય દેશમાં.
લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ લાગે દેશમાં

No comments:

Post a Comment