સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Saturday, June 22, 2013

અનામત – સવર્ણોનું Discrimination !

આપણું બંધારણ ! – વિશ્વનું સૌથી મોટું લેખિત, ગૌરવશાળી બંધારણ !!
     સારું દેખાય એ બહુ ટકાઉ હોતું નથી,વેપારીલાઈનનો આ સિધ્ધાંત બંધારણને પણ અક્ષરશ: લાગુ પાડી શકાય એમ છે ! – છેલ્લાં ૬૨ વર્ષોમાં ૯૭ સંશોધનો કરવા પડ્યા છે !!
     હમણાં સત્યમેવ જયતે પ્રોગ્રામમાં એક સંવેદનશીલ મુદ્દો છેડવામાં આવ્યો, જ્ઞાતિપ્રથાનો. જ્ઞાતિને આધારે થતાં સામાજિક ભેદભાવનો.
     હાલની પરિસ્થિતિમાં આ મુદ્દાને જોવાની જરૂર છે.અત્યારે જ્ઞાતિને આધારે શૈક્ષણિક ભેદભાવ ચાલે છે !!
    હાલની પેઢીને શાળામાં સમાનતાનાં પાઠ ભણાવવામાં આવે છે,અને એનાથી ઉલટું એ જયારે શાળામાં ભણીને ઉચ્ચ અભ્યાસ કરે છે કે નોકરી મેળવે છે,ત્યારે ચોતરફ અસમાનતા! હું એવું સ્પષ્ટપણે માનું છું કે, આ બાબત સમાજના નવી પેઢીનાં નાગરિકોનાં મન પર ખંડનાત્મક અસરો કરે છે!
     ધોરણ ૧૨ પાસ કરીને એક વિદ્યાર્થીએ પી.ટી.સી. કરવાનું નક્કી કર્યું. ૧૨માં ટકા ઓછા હતા. તેમ છતાં તે અમુક જ્ઞાતિનો હોવાથી તેને શહેરી વિસ્તારની સરકારી કોલેજ માં એડમિશન મળી ગયું. પીટીસી કર્યું. ભાઈએ વિદ્યાસહાયક તરીકે ઉમેદવારી કરી. આમાં પણ મેરીટ ઓછું,પણ અનામતનો લાભ લેતાં નોકરી મળી ગઈ ! સારું ચાલો એક પરિવારને જરૂર હતી, અને નોકરી મળી ગઈ.
     હમણાં મુખ્યશિક્ષક માટેની જગ્યાઓ ઉભી થઇ છે. આ ભાઈ એ પણ પરિક્ષા આપીને મુખ્યશિક્ષક થવાનું વિચાર્યું. ફોર્મ ભર્યું, ફી ભરી, અમુક જ્ઞાતિનાં હોવાથી ફી ૨૦૦ ને બદલે ૧૦૦ રૂપિયા ! – છેલ્લાં ૧૦ વર્ષથી ભાઈ સરકારી નોકરિયાત છે, શું તેને સવર્ણોથી ઓછો પગાર મળે છે? શું સવર્ણોનું સમાનાર્થી ગર્ભશ્રીમંત છે ? સરખું કમાતા બે શિક્ષકોની ફી જાતિ ને આધારે અલગ અલગ ! – વાત આટલે થી ખતમ થઇ જાતિ હોત તો તો ઠીક. અમુક જ્ઞાતિનાં હોય એટલે અભિયોગ્યતા પણ ઓછી હોય તો ચાલે ! મુખ્યશિક્ષક અભિયોગ્યતા કસોટીમાં ૯૦ માર્કે પાસ થવાનું હતું, પણ અનામત કેટેગરી માટે ૮૨ ! બધેય ભણવાનાં મેરીટમાં પાછળ પણ જાતિનાં  મેરીટ માં આગળ !! હવે વાત આવી જીલ્લા પસંદગીની, એમાં પણ ભાઈ અત્યારે અનામતનાં લાભથી કોર્પોરેશન લઇને બેઠા છે !!
     ૬૨ વર્ષો, આશરે ત્રણ પેઢીઓ સુધી અનામતનો (ગેર!)લાભ આપવામાં આવ્યો છે. કેટલીક વાર, હારું કેટલીક વાર ! – જ્ઞાતિ એ જ લાયકાત !! ૬૨ વર્ષો પછી પણ અનામત પ્રથા પછાતોને વિકસિત નથી કરી શકી ?? શું આ સિસ્ટમવાળા એમ માને છે કે અનામતનો લાભ આપીને તેઓ સમાજસેવા કરે છે ?!? અરે, ઉલટાનું વૈમનસ્ય વધતું જાય છે !
     અનામત જે તે સમયે લેવાયેલું અત્યંત સરાહનીય પગલું હતું. સામાજિક, આર્થીક રીતે પછાત લોકો શૈક્ષણિક રીતે પછાત ન રહે, તેઓનું સમાજ નાં અન્ય વર્ગોની જેમ શિક્ષણ દ્વારા ઉત્થાન થાય એવો ઉમદા હેતુ હતો. પણ ૬૨ વર્ષો બાદ અનામતની વ્યાખ્યા બદલાવવાની જરૂર છે. ખરેખર તો શિક્ષિતો એ જ સામેથી આ પ્રથાનો લાભ લેવાનું ટાળવું જોઈએ ! મેં જે ભાઈની ઉપર વાત કરી તેના માતા પિતા બંને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક છે !શું તમને લાગે છે કે તેઓને ખરેખર અનામતની જરૂર હતી !!??
     એવું કહેવામાં આવતું હોય કે, કોઈને તેઓની જ્ઞાતિને આધારે ક્યારેય અપમાનિત ન કરવાં... તો અનામતપ્રથા એ સવર્ણોનું અપમાન છે.
તણખો :
         એક ગામમાં એક મજુરી કરતાં વાલીનાં છોકરાને શિષ્યવૃત્તિ ન મળે , અને એ જ ગામનાં ગાડીમાં ફરતાં સરપંચનાં છોકરાને શિષ્યવૃત્તિ મળે !!– આ ક્યાંનો ન્યાય ?? શું આ Discrimination નથી ??????

ભાર વિનાનું ભણતર

ભાર વિનાનું ભણતર!
મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી ચડ્ડી  સુતરાઉ કાપડની કે ખાતરની થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ દફ્તર  તેમાં દેશી હિસાબબે-એક પુસ્તકોસ્લેટ અને પેન. 
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું. 
આજે વિદ્યાર્થીઓ  પ્રશ્ન કરે છે: સરસ્લેટ એટલે શું?” 
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ. 
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસતા. અણીદાર” બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.  

સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોયગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો,શીખી લોભીના કપડાથી ભૂસી નાખો. 
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ: 
ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...” 
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર! 

ઘડિયા જ્ઞાન  ૩૦ એકા સુધીના ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા પલવારમાં ઉકેલાય.

આજના નાનકડા ભૂલકાઓને ઈન્ફર્મેશન એજમાં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયોઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ. સાદા સરવાળા માટે પણ પરાવલંબી. દરેક વિષયના એક-બે પુસ્તકોગાઈડો- વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ હજાર આપતાં વાલી આનંદ અનુભવે. ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો ખરાજ.  કંપાસમાં ચાર પાંચ પેન. દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધીતેમાં જ્ઞાન તો તલભારનું જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી. રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ લોચા મારે છે.આજે   બાળકને આપણે શું આપીએ છીએ?
ભાર વગરનું ભણતર કે જીવનને રગડોળી નાખવાનું ભણતર

મારા મતે નવી શિક્ષણનીતી

નવી શિક્ષણનીતિ : એક સંકલ્પના

 પ્રસ્તાવના :એકવીસમી સદીનું બીજું દશક શરુ થતાં ભારતીય શિક્ષણવ્યવસ્થા વિષે પુન:મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે- તેમાં ધરમૂળથી ફેરફારો કરવા એ સમયની જરૂરિયાત બની ગયેલ છે, ભારતીય ઇતિહાસ, સંસ્ક્રૂતિ, સમાજ, વ્યવસ્થા તથા વર્તમાન વૈશ્વિક પરિવર્તનોને ધ્યાને રાખીને નૂતન શિક્ષણનીતિ સ્વતંત્ર રીતે નિર્માણ કરવાની જરૂરીયાત ઉભી થયેલ છે, આથી તેના ઉપર સાર્વજનિક ચિંતન થાય તે માંથી ફળશ્રુતિ-રૂપ સાર પ્રાપ્ત થતાં એક સ્વતંત્ર વિદેશનીતિ દરેક દેશને હોય છે, તે રીતે એક સ્વાયત શિક્ષણનીતિ પણ દેશ માટે હોવી જોઈએ ; જે કોઈ સ્થાપિત હિતથી ગ્રસિત ન હોય એ બાબતે પણ ખાસ દક્ષતા રહે તે ધ્યાને લેવાય એ આવશ્યકતા છે.
ખરેખર રાઈટ ટુ એજ્યુકેશન(RTE) નું સ્વરૂપ કેવું હોવું જોઈએ:-
  • ૧) પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક, વિશ્વવિદ્યાલય એ ત્રણે સ્તરો નું શિક્ષણ RTE ACT હેઠળ સાંકાળી લેવાય.
  • ૨) શિક્ષણને સર્વોચ્ચ મહત્વ આપી દૂરદર્શી આયોજનરૂપ મુસદ્દાને તેમાં સામેલ કરવો કરવો જોઈએ.
  • ૩) નવો RTE ACT બનાવવા માટે નિષ્ણાતોની નીચે મુજબના કોષ્ટક પ્રમાણે ૨૪ –સભ્યોની એક વિસ્તૃત ટીમ બનાવવી જોઈએ : -
સભ્યનું ક્ષેત્ર
હોદો
સંખ્યા
સુપ્રીમ કોર્ટન્યાયાધીસ(નિવૃત)
હાઇકોર્ટન્યાયાધીસ
શિક્ષણ વિદો-
વિશ્વ વિદ્યાલયપ્રોફેસર
પ્રાથમિકશિક્ષક
માધ્યમિકશિક્ષક
પ્રાચીન ગુરુકુળ (વૈદિક)કુલપતિ /આચાર્ય
રમત-ગમત સંસ્થાડાયરેક્ટર
આર્મી ઓફિસરજનરલ/મેજર/કેપ્ટન
આઈ.આઈ.એમ.પ્રોફેસર
આઈ.આઈ.ટી.પ્રોફેસર
સમાજ સેવક-
કલા-
સાહિત્ય-
વૈજ્ઞાનિક-
કુલ
૨૪
  • ૪) ઉપરોક કોઠા -૩ મુજબ ૨૪ –સભ્યોની નિમણુંક પ્રધાનમંત્રી , વિપક્ષના નેતા ,શિક્ષણમંત્રીની સહમતી થી રાષ્ટ્રપતિ દ્વારા થાય તથા તેને એક વટહુકમ દ્વારા વિશેષ શક્તિ પ્રદાન કરવામાં આવે જેથી એ સમિતિ પોતાનું કાર્ય કોઈ પણ જાતની બાધા વગર કરી શકે .
  • ૫) સમિતિ પોતાનો અહેવાલ છ માસમાં આપે , તેનો અમલ ત્રણ માસમાં થાય તે બાબતે યોગ્ય થાય. તેના માટે સરકાર કટ્ટીબદ્ધ બને એ જરૂરી છે.
  • ૬) સમિતિનો અહેવાલ આવ્યા બાદ એક ચુંટણીપંચની મારફતે સ્વાયત શિક્ષણ પંચ બને જેના હેઠળ સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થા ને મુકવામાં આવે .
શિક્ષણ માટે તાત્કાલિક શું કરવું જોઈએ ?
  • ૧) નીચેના કોષ્ટક મુજબના પગલાં તત્કાલ ભરી શકાય: -
ક્રમ
વિગત
શાળાનો સમય (સમગ્ર દેશમાં એકજ સમય સવારનો)શિક્ષક માટેસવારે : ૮ થી ૧:૩૦
શિક્ષણ કાર્ય૮:૩૦ થી ૧૨:૩૦
રીશેષ૧૦:૦૦ થી ૧૦: ૩૦
આયોજન૧૨:૩૦ થી ૧:૩૦
તાસઆઠ૩૦-મીનીટનો એક
શૈક્ષણીક  કેલેન્ડરસમગ્ર વર્ષનુંરાજ્ય કક્ષા એ એકજ હોય જેમાં શિક્ષણ કાર્ય, તાલીમ,કાર્યક્રમો,ઉજવણી, અન્ય —એ રીતે દિવસોનું વિભાજન કરવું…
દરેક શાળામાં ભૌતિક સુવિદ્યાઓપુસ્તકાલયટેબલ ,ખુરસી, બેંચ , પુસ્તકો
લેબોરેટરી
સ્ટાફ રૂમ
કોમ્પુટર રૂમઈન્ટરનેટ જોડાણ સાથે
આચાર્ય રૂમ
 ક્લાસ રૂમદરેક વર્ગ માટે અલગ
મેદાનરમતનું
બાગપાણીની સુવિદ્યા સાથે
શિક્ષક સજ્જતાલેપટોપસરકારે ૯૦% સબસીડી આપવી.
એવોર્ડનવી રીતેશિક્ષક ફાઈલ બનાવી સામેથી એવોર્ડ માગે તેના કરતા , સરકાર તેને સામેથી એવોર્ડ આપે તેવી નીતિ બનાવવી.
શિક્ષણ કાર્યમાત્ર શિક્ષણશિક્ષણ શિવાયની અન્ય કોઈ વધારાની કામગીરી ન આપવી.
પાઠ્યક્રમઆયોજનરાજ્યની દરેક શાળામાં એકજ દિવસે એજ પાઠ ચાલતો હોય….(જેનું આયોજન રાજ્ય કક્ષાએ શિક્ષકોની એક ટીમ દ્વારા દર વર્ષે થાય

પ્રાથમિક શિક્ષણમાં સુધારણા

પ્રાથમિક શિક્ષણ માં સુધારણા માટે નીચે મુજબના ઉપાયો કરવા આવશ્યક છે,
1.       શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા વિકાસ ગ્રાન્ટ ફાળવવી જોઈએ.
2.       શાળા રિપેરિંગ ગ્રાન્ટ શાળા ના ઉપયોગમાં લેવાતા ઓરડાઓની સંખ્યા ને આધારે મળવી જોઈએ.
3.       બે પાલીમાં ચાલતી શાળાઓને શાળા રીપેરીંગ ગ્રાન્ટ બે ગણી મળવી જોઈએ.
4.       આચાર્ય માટેની એક સ્પેશિયલ ગ્રાન્ટ હોવી જોઈએ, જેનો આચાર્ય પોતાની શાળા માટે ઈચ્છે તે રીતે ઉપયોગ કરી શકે.
5.      ============================
6.      ,/div>
7.   ,
8.
9.       SMC ના સભ્ય થવા માટે વાર્ષિક ફી નક્કી કરવી જોઈએ, જે ફી ના નાણા માંથી આચાર્ય શાળા હિતાર્થે વાપરી શકે,
10.   વાર્ષિક ધોરણે  ઓછામાં ઓછી સભ્ય ફી=૧૦૦૦ રૂપિયા હોવી જોઈએ.
11.  =============================+============================
13.   ૯૦ કે તેથી ઓછા બાળકો ભણે છે ત્યાં ઓછામાં ઓછા ૯ =વાલી હાજર હોવા જોઈએ.
14.   SMCનું એકાઉન્ટનો તમામ વ્યવહાર માત્ર આચાર્યશ્રી જ SMC વતી કરે તેવું પ્રાવધાન કરવું જોઈએ,
15.   આચાર્યશ્રી નું એક સ્પેશિયલ એકાઉન્ટ બેંક માં હોય જેમાં શાળા ને લગતો વહીવટી વ્યવહાર કરી શકે,
16.   SMC માત્ર વ્યવસ્થા માં આચાર્યશ્રી /શાળાને વ્યવસ્થા માં મદદ કરવી જોઈએ,
17.   RTI ના પ્રાવધાનો થી શિક્ષણ ને મુક્ત રાખવું જોઈએ,
18.   તમામ વ્યવહાર ઓનલાઈન –થવો જોઈએ,
19.   ખર્ચ અંગે નો વાર્ષિક હિસાબ ઓનલાઈન મુકવામાં આવે જે પણ વ્યક્તિ =૧૦૦૦/-ફી પ્રથમ ભરે તેને ઓનલાઈન મુકેલ માહિતી માંથી જે-તે ઓથોરીટી માહિતી આપે ,
20.   માહિતી માટે ના ફોરમેટ માં સુધારો કરવો જોઈએ,
21.   સરકારે માહિતી માટે એક પ્રોફેસનલ વ્યવહાર કરવો જોઈએ, જેમાંથી સરકાર ઈચ્છે તે નફો પ્રાપ્ત કરી શકે ,
22.   માહિતી ચાર થી વધુ બાબતો ની એક વખતે માંગી શકાય નહિ તે પ્રાવધાન હોવું જોઈએ,
23.   એકજ કાગળ માં એકજ બાજુ માહિતી માટે ના પ્રશ્નો શબ્દો ની સંખ્યા ૧૦૦ થી વધુ ન હોવા જોઈએ,
24.   પ્રથમ ૧૦૦=સબ્દો માહિતી આપવા નું બાધ્ય રહેશે નહિ ,તેમ છતાં ઓથોરીટીને લાગે તો વધુ ૫૦=શબ્દો સુધી ની માહિત પોતાની મનસુફી મુજબ આપી શકે છે,
25.   જે માહિતી ઓનલાઇન મુકેલી હોય તે માહિતી આપવી નહિ માત્ર ઓનલાઈન છે ,વેબસાઈટ નું નામ લખવું,
26.   ખરેખર તો પ્રાથમિક શાળા પાસે કલાર્ક , પટાવાળા , હિસાબનીશ વગેરે કોઈ કર્મચારી હોતા નથી.
27.   ઉપરોક્ત મુદા ૨૭-ને ધ્યાને લઇ પ્રાથમિક શાળાને RTI-2005 થી  મુક્તિ આપવી જોઈએ,
28.   જે દેશ ને તેના શિક્ષક/શિક્ષણ/આચાર્ય પર ભરોસો નહિ હોય તે નું ક્યારેય ભલું નહિ થાયછે,,
29.   ભરોસા નો પ્રશ્ન છે, સરકાર ને વિશ્વાસ ન હોય તો હિસાબી અધિકારી ઓ દ્વારા તપાસ કરાવી શકે, ૯૦% લોકો RTI -2009દુરુપયોગ કરી રહેલ છે,
30.   માહિતી આપવામાં જે સમય વ્યતીત થાય છે, તેનું સીધુ નુકશાન બાળકોને છે,
31.   માહિતી માટે મળનાર ફી એડ્વાસ માં શાળાને મળે  , કાગળદીઠ કીમત =૧૦ રૂપિયા હોવી જોઈએ, જેનો ઉપયોગ શાળા હિતાર્થે , અન્ય ખર્ચ બાદ થવો જોઈએ,
32.   એડવાન્સ ફી =૨૦૦૦ હોવી જોઈએ, ૨૦૦૦ થી વધુ ફી થાય તો મેળવવી , અન્યથા આપેલ ફી માંથી પરત આપવાની ન રહેવી જોઈએ,
33.   BPL સહિતના કોઈ માટે મફત માહિતી ન અપાવી જોઈએ, કારણ કે BPL ને ખરેખર માહિતી નહિ માર્ગ જોઈએ,રોજગારી જોઈએ, ખાવા સારું અનાજ જોઈએ.

અત્યાર સુધી ના બદલીના પરિપત્રો

પરિપત્ર વિભાગ

મિત્રો બદલી અંગે  ૧૯૯૮ થી માંડીને ૨૦૧૨ સુધીમાં થયેલા પરિપત્રો એક જ ફાઈલમાં ડાઉનલોડ કરો...ખાસ નોધ નિયમો માં છેલ્લે થયેલા ફેરફાર જ માન્ય હોય છે જેથી કોઈ મિત્રો જુના પરિપત્ર જોઈ મીસ ગાઈડના થતા જુના પરિપત્ર ફક્ત આપણી જાણ માટે જ છે..... to download click here...

જીવન માં આવું પણ થાય છે.

જીવન માં આવું પણ થાય છે...

જેને ચાહો છો તે ક્યારેક ખોવાય જાય છે.
જેને પ્રેમ કરોછો તે ક્યારેક છીનવાય જાય છે.
જે મળ્યું છે તે લુટાઈ જાય છે.
આંખ માં ફક્ત આંસુઓ ની ધાર રહી જાય છે.
તેને પણ કોઈ અજનબી લુછી જાય છે.
ખુશી ની સાથે ગમ પણ બેવફા બની જાય છે.
તમે હસતા હોય અને આંખો રડતી દેખાય છે.
તમે જેને ભૂલી શકતા નથી એ તમને જ ભૂલી જાય છે.
દિલ થી તમારા એ ક્યાંક દૂર ચાલ્યા જાય છે.
જે સપના હતા એ તૂટીને ચકનાચૂર થઇ જાય છે.
પછી તેમની ખુશી માં તમારી ખુશી દેખાય છે.
પછી ધીમેથી દિલને મનાવી લેવાય છે.
થોડીક પળો પછી ઝીંદગી "SET" થઇ જાય છે.
પછી યાદો યાદ બનીને રહી જાય છે.
"પવન" ઝીંદગી નો એમ ને એમ વહી જાય છે.
પ્રેમ નું બલિદાન આપી ઝીંદગી તો જીવી લેવાય છે,
પણ...
પછી ભગવાન સામે ફક્ત એકજ ફરિયાદ રહી જાય છે...
કે...
"આવું મારી સાથે જ કેમ થાય છે..?

વરસાદ ના પ્રકાર

૧૨ પ્રકારના મેઘ

અંદરની ઊર્ધ્વમૂલ ખલેલ પામ્યા વિના વરસાદને નિહાળવાનું શક્ય ન હોય ત્યારે નછુટકે કલમને શરણે જવું પડે છે. 
આપણા ઋષિએ વરસાદને પર્જન્ય કહ્યો છે 
અને વળી એને પિતાને સ્થાને બેસાડ્યો છે.
વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે.
જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક એવી ઘટના બને છે,
જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર જેવાં ત્રણ ખાનાં ખરી પડે છે
અને રહી જાય છે
કેવળ મૌન!
એવી અવસ્થામાં ઊગેલા શબ્દો કવિતાની વંડી ઠેકીને પ્રાર્થનાની સીમમાં પહોંચી જતા જણાય છે.


આપણા ગુજરાતી લોકસાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘ નું વર્ણન કરવામાં આવ્યું છે.

તેના ઉપરથી એક કહેવત પણ બનેલ છે કે "બારેય મેઘ ખાંગા"...

તો ચાલો આજે જાણીએ એ મેઘનાં ૧૨ પ્રકાર...

૧. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

(સૌજન્ય : વિકીપીડિયા, ભગવદગોમંડલ )

જીવનના હકાર ની કવિતા

જીવનના હકારની કવિતા


જીવનના હકારની કવિતા, દરેક પ્રેમીઓ માટે...


ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી-,
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
હવે ચાલ્યા કરો - ચાલ્યા કરો બસ એ જ રસ્તો છે
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો
જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો
ચમકતાં આંસુનો - જલતા જીગરનો સાથ મળવાનો
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો
ઘણાં એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં
કે જેનો કોઈ અણસારો કે વરતારો નથી હોતો
ફક્ત દુઃખ એજ છે એનું તરસ છીપી નથી શકતી
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો
- શેખાદમ આબુવાલા

કચ્છ જીલ્લા માટે

પ્રેમ એટલે શું ?

પ્રેમ કરવો એટલે ??
પ્રેમ કરવો એટલે પ્રેમ કરવો બીજું કઈ નાં કરવું.....!!!

સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.
પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. 
ડ્યુટી પરની નર્સપોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. 
પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.
દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. 
એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.
નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું, ’દાદા ! તમારીઉતાવળનું કારણ હું પૂછી શકું? કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?
"ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે." દાદા એ નર્સ ને કહ્યું. 
"પાંચ વરસથી? શું થયું છે એમને?" નર્સે પૂછ્યું. 
"એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે." દાદાએ જવાબ આપ્યો.
મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી, "દાદા, તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?"
 દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,"ના ! જરા પણ નહીં, કારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી...!!!"
નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, "દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?"
દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,
"બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે..??!!!"
*
સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર. ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર...!!!!!!!

કારણ કે પ્રેમ એટલે ? પ્રેમ.  એટલે ? પ્રેમ બીજું કશું જ નહિ...!!

ક્ષણનો સાક્ષાત્કાર

ક્ષણનો સાક્ષાત્કાર...!!

તમે તમારી પાછળ કયો વારસો મૂકી જાશો ?
વર્તમાન જીવનનાં અંત પછી આ ધરતી પર શું મૂકી જાશો ?
આ વાસ્તવ જગતમાં તમારી ઉપસ્થિતિ ના હોય અને છતાં આ જ જગતમાં તમારું શું ટકશે ?
જમીન-જાયદાદ, બંગલો કે ધનસંપત્તિ અથવા તો મુલ્યવાન ઘરેણા વારસામાં આપતા જશો ?
વસ્તુ રૂપે આપેલો વારસો ત્યાં સુધી જ જીવંત હોય છે, જ્યાં સુધી એ હસ્તાંતરિત થાય નહીં.
એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે કે એક હાથમાંથી બીજા હાથ પાસે ગયા, એટલે સઘળું તમારું રહેતું નથી. જમીન કે બંગલો બીજા પાસે જશે એટલે એ તમારા નહીં રહે.
હકીકતમાં જિંદગીમાં વ્યક્તિ એ એક એવો હકારાત્મક (Positive) વારસો આપીને જવાનું છે કે જે અન્ય વ્યક્તિના સદાય સ્મરણમાં રહે. સામાન્યરીતે એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિને મળીયે અને બીજી જ ક્ષણે એને ભૂલી જઈએ છીએ, પરંતુ કોઈ એવી પણ વ્યક્તિ મળે છે કે થોડીવાર મળી હોય તો પણ જીવનભર એની દ્રષ્ટિ, એના વિચાર યાદ રહી જાય. એ વ્યક્તિત્વ આપણા દિલ-ઓ-દિમાગમાં એવી રીતે સમાઈ જાય કે જીવનનાં છેલ્લા શ્વાસ સુધી એ યાદ રહી જતું હોય છે.
આપણા જીવનમાં કોઈ ને કોઈ તો એવું મળ્યું જ હોય છે જે આપણને આવી રીતે યાદ રહી ગયું હોય.
તેનું કારણ સમજાય છે ??
કારણ છે એનો જીવન પ્રત્યે નો હકારાત્મક ભાવ.
એ આપી રહ્યા છે પોતાનો હકારાત્મક વારસો.
અને આપણા દિલ-ઓ-દિમાગમાં જે છાવાઈ ગયું હોય એ છે "તે વ્યક્તિનું હકારાત્મક વ્યક્તિત્વ"...
આપણા જીવનમાં આપણને મળતી દરેક વ્યક્તિ ને આપણે એવી રીતે મળીયે કે આપણે પણ સામે વાળી વ્યક્તિના દિલ-ઓ-દિમાગમાં છવાઈ જઈએ.
અફકોર્સ આપણે બધાય એવું ઇચ્છતા જ હોઈએ.
પણ એ માટે કરવું શું ??
સિમ્પલ છે,
તમે જ્યારે જીવન પ્રત્યે સંપૂર્ણ પણે હકારાત્મક વલણ ધરાવતા થઇ જાઓ પછી જે પણ વ્યક્તિને મળો ત્યારે એવીરીતે મળો કે એ સામે વાળી વ્યક્તિ તમારા પ્રેમ ભર્યા વર્તાવને યાદ રાખે,
તમે એના દુઃખોને શાંતિથી સાંભળ્યા હોય તો એનું સ્મરણ કરે,
એની વેદના જાણીને આશ્વાસન આપ્યું હોય કે કપરે સમયે મદદ કરી હોય તો તેને યાદ કરે.
આમ તમે જે કાઈ  કામ કરતા હો, તેની સાથે તમારી પોઝિટીવ એનર્જી નો સામેની વ્યક્તિને અનુભવ થવો જોઈએ. આ પોઝિટીવ એનર્જી વ્યક્તિને અધ્યાત્મ સાથે જોડે છે.
અને તમે એ વ્યક્તિ ને આપેલો આવો વારસો સમય જતા એના માટે અત્યંત મુલ્યવાન આધ્યાત્મિક વારસો બની રહે છે.
થોડું કહ્યું છે,
ઘણું કરીને વાંચશો...
.
આભાર.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ…

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ…



શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કંઈક અલગ જ હોય છે.

જેમાં વિદ્યાર્થી તોફાની, બળવાખોર, નવા વિચારો નો, આગળ જોનારો, વારે વારે પ્રશ્નો પૂછનારો, શંકા કરનારો….
જ્યારે શિક્ષક નું કામ જ શાંત અને સ્થિર મન થી આ બધું પચાવીને વિદ્યાર્થીને પોતાનો બનાવવાનું છે.
જે શિક્ષક એમ કહેતો ફરે કે “આજનો વિદ્યાર્થી બગડી ગયો છે”, “હવે પહેલા જેવું ક્યા છે ?”
તો માનવું કે તે શિક્ષક ની નિષ્ફળતા છે. અને વિદ્યાર્થીનું દુર્ભાગ્ય…!!
વિદ્યાર્થી આજે પણ શિક્ષક ને સમર્પિત થવા તૈયાર છે,
જરૂર છે “શાંત ચિત્ત શિક્ષકની”….

Wednesday, June 19, 2013

ગુજરાતી વ્યાકરણ નીપાત

નિપાત :
“વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો જેવા કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, સાથે આવી શકે અને ભાર, નિશ્ચય વગેરે અર્થની વિશેષતા દર્શાવે તે પદોને નિપાત કહે છે.”
નિપાતના પ્રકાર :
(૧) ભારવાચક નિપાત :
“જે નિપાત ભારવાહી અર્થ બતાવે છે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે.”
ઉદાહરણ : જ, તો, ય, પણ, સુદ્ધાં
માલવ  આ લખી શકશે.
માલવ તો આ વાત કરશે જ.
માલવ  ગીત ગાશે.
પાર્થવ પણ વાર્તા કહેશે.
શિક્ષક સુદ્ધાં આ સેવાયજ્ઞમાં જોડાયા.
(૨) સીમાવાચક નિપાત :
“જેમાં સીમા કે મર્યાદા અંકિત થતી હોય અને સીમા મર્યાદાનો અર્થ વ્યક્ત થતો હોય તે સીમાવાચક નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક, માત્ર
માલવભાઈ તમે ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.
માલવભાઈ કેવળ તમારા આગ્રહને કારણે હું આવીશ.
માલવ અને પાર્થવ તદ્દન નજીવી બાબતમાં ઝઘડી પડ્યા.
માલવ ઘરમાં સાવ એકલો પડી ગયો.
છેક આવું થશે તેની તો કલ્પના જ નહોતી.
માલવભાઈ માત્ર તમને આમંત્રણ છે.
(૩) વિનયવાચક નિપાત :
“જેમાં વિનય, વિવેક, માન-મોભો કે આદરનો અર્થ દર્શાવાયો હોય તેવા નિપાત વિનયવાચક નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : જી
આચાર્યજીને મારા નમસ્કાર.
અમારી ભૂલ હોય તો માફ કરશોજી.
પ્રધાનજી સભામાં પધાર્યા.
સ્વામીજી આશ્રમમાં હાજર છે.
(૪) પ્રકીર્ણ – લટકણિયાં રૂપે પ્રયોજાતા નિપાત :
“કેટલાક નિપાત વાક્યને અંતે વિનંતી, આગ્રહ, અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો માત્ર લટકણિયાં રૂપે પ્રયોજાય ત્યારે તેમને લટકણિયાં રૂપે પ્રયોજાતા નિપાત કહેવાય છે.”
ઉદાહરણ : ને, કે, તો, એમ કે, કેમ
પાર્થવભાઈ મારી વાત માનશે ને ?
માલવભાઈ તમારી પેન આપશો કે ?
માલવ, મને પાર્થવનું સરનામું લખાવ તો ?
મને એમ કે માલવ દોડી શકશે.
પાર્થવ પાછો આવી ગયો, કેમ ?