સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, December 28, 2012

પતિ પત્ની નો ઝગડો


જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે,
કેવા શબ્દો બોલે…?
….
પાઈલટની પત્ની….હવામાં જ ઊડ્યા કરો તમે….
મિનિસ્ટરની પત્ની….તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….
શિક્ષકની પત્ની….મને નહીં શીખડાવો….
રંગારીની પત્ની….થોબડું રંગી નાખીશ….
ધોબીની પત્ની….બરાબરની ધુલાઈ કરી નાખીશ….
સુથારની પત્ની….ઠોકીને સીધા કરી દઈશ….
તેલના વેપારીની પત્ની…તો તેલ લેવા જાવ….
દરજીની પત્ની….મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….
અભિનેતાની પત્ની….હવે નાટક બંધ કરો….
રેલવે ડ્રાઈવરની પત્ની….આવી ગઈને ગાડી લાઈન પર?….
કોમ્પ્યુટર એન્જિનિયરની પત્ની…તને ડિલીટ કરી નાખીશ…
ડેન્ટિસ્ટની પત્ની….દાંત તોડીને હાથમાં આપી દઈશ…

મફતમાં મળે છે


મફતમાં મળે છે 
પાણી ની માફક પૈસા વાપરનારને – મિત્રો મફત માં મળે છે.
સાસુને નણંદની સાથે રહેનાર વહુ ને – ઝગડા મફતમાં મળે છે.
કોલસા બાળનારને – રાખ મફતમાં મળે છે.
ઠોકર ખાનારને – જમીનનું ચુંબન મફતમાં મળે છે.
નેતા પાસેથી ભાષણ-સલાહ-સૂચનો – મફતમાં મળે છે.
પાંચ રૂપિયાની સિંગ ખરીદનારને એક કાગરનો ટુકડો – મફતમાં મળે છે.
ભૂલ કરનારને સલાહ – મફતમાં મળે છે
ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કરનારને નામોશી – મફતમાં મળે છે.
અન્ના હઝારેને સાથ આપનારને હેરાનગતિ – મફતમાં મળે છે.
–Added by Megha Mukta –
રાતે અંધારું – મફતમાં મળે છે
દિવસે પ્રકાશ – મફતમાં મળે છે
શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ – મફતમાં મળે છે.
વુક્ષનો છાયડો – મફતમાં મળે છે.
–Added  by Parshwa –
માં બાપ ના સંસ્કાર – મફતમાં મળે છે
ગુરુ પાસે થી વિધ્યા– મફતમાં મળે છે
સાચા મિત્ર પાસે થી મિત્રતા – મફતમાં મળે છે

મિત્ર


હજી થોડાક એવા મીત્ર છે - અનિલ ચાવડા



ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મીત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

પ્રથમ તો ફોસલાવીને મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને,
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.
કર્મના લેખા જોખા


તારો કી જ્યોત મેં ચંદ્ર છુપે નહિ
સૂર્ય છુપે નહિ બાદલ છાયો
રણ ચડ્યો રજપૂત છુપે નહિ
દાતા છુપે નહિ માંગન આયો
ચંચલ નારી કે નૈન છીપે નહિ
પ્રીત છુપે નહિ પીઠ દિખાયો
કવિ ગંગ કહે સુન શાહ અકબર
કર્મ છુપે નહિ ભભૂત લગાયો
- કવિ ગંગ.

માતા પિતા



માં બાપનું ઋણ..........
જીવતા/હયાત માતા પિતાની છત્ર છાયામાં, વ્હાલપનમાં બે વેણ બોલીને નીરખી લેજો
હોઠ અડધા બિડાય ગયા પછી , ગંગાજળ મૂકીને શું કરશો …..
અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક વાર ભેટી લેજો
જીવતા/હયાત નહિ હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો ……
કાળની થાપટ વાગશે અલવિદા એ થઇ જશે, પ્રેમાણ હાથ પછી તમારા પર કદી નહિ ફરે
લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહિ મળે ,પછી દિવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો ……
માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે ,અડસઠ તીરથ તેના ચરણોમાં , બીજા તીરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલાં વીણીને શું કરશો …….
જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો ,
પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ……..
પૈસા ખર્ચતા સગળું મળશે , માબાપ નહિ મળે ,ગયો સમય નહિ આવે લાખો કમાયને શું કરશો
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહિ મળે તો આંસુ સારીને શું કરશો………

સવાલ જવાબ


જીંદગીમાં ઉપયોગી કેટલાક સવાલના જવાબ...........
સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.
સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!
સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.
સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.
સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.
સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.
સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા
સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.
સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક
સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ
સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.
સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા
સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ
સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ
સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.
સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?
સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.

Thursday, December 27, 2012

રમતોત્સવ

ખેંગરપુરા  સી.આર. સી. નો સી.આર. સી.કક્ષાનો રમતોત્સવ ભીમપુરા મુકામે યોજાયો જેમાં સેન્ટરની દરેક શાળા ના બાળકો તેમજ શિક્ષક મિત્રો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો ...


બાળકોને પ્રોત્સાહન પૂરું પડી રહેલા ભીમપુરા શાળાના શિક્ષક શ્રી શિવરામભાઈ .........................



રમતોત્સવ  માં  નિર્ણાયક ની ભૂમિકા ભજવનાર શિક્ષક મિત્રો  જેમાં કૌશિકભાઈ, હું પોતે ધવલભાઈ, રાહુલભાઈ, તેમજ ભીમપુરા શાળાના શિવરામભાઈ......


પંચ કાર્ય કરનાર શ્રી વિરેન્દ્રભાઈ, સડાતસાહેબ, તેમજ રમણભાઈ ખાંટ ................

કબ્બડી ની રમત રમતા દિદરડા તેમજ સપોર્ટ ગણવેશમાં સજ્જ  ભીમપુરા શાળાના બાળકો

પધારેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી રહેલ યજમાન શાળા ના યુવા મુ.શિ. શ્રી નબીરભાઈ....


બાલિકાઓ દ્વારા કરવામાં આવેલ યોગાસનો..................


શીર્ષાસન કરી રહેલ યોગસનું ઉતમ ઉદાહરણ પૂરું પાડનાર દિદરડા  શાળાના શિક્ષક રાહુલભાઈ....


પધારેલ મહેમાનોમાંથી બાળકોને બાળકોને પ્રોત્સાહન તેમજ ઉષ્મા પૂરી પડી રહેલ ઉદરાના સી.આર. સી. શ્રી સુરેશભાઈ દવે સાહેબ.............


અભાર..........................

Wednesday, December 19, 2012


સાચી કેળવણી :

જે સ્વ-ની ઓળખ કરાવે.
સંકટમાંથી માર્ગ શોધી આપે.
દુ:ખમાં જીવતાં શીખવે.
બીજાને સુખ આપે.
વિનયી બનાવે.
પોતાનામાં રહેલા ક્રોધ અને અહંકારને દૂર કરે
આત્મબળ વધારે.
જીવનને પ્રકાશીત કરે.
સ્થિરતા પ્રદાન કરે.
અન્યાય સામે આવાજ ઉઠાવે.
પોતાનામાં આત્મવિશ્વાસ જગાવે.
કોઈ પણ કાર્યને પૂર્ણતા તરફ દોરે.
દેશ અને સમાજમાં માન-સન્માન અપાવે.
અને જીવનના અંત પછી પણ તેની કિર્તી ચારે
બાજું ફેલાવે.

॥ સૂપ્રભાતમ્ ॥
॥ જય શ્રી કૃષ્ણ ॥

Monday, December 10, 2012


જાગો મતદાર જાગો

જાગો મતદાર જાગો કાર્યક્રમ અંતર્ગત શાળા બાળકો દ્વારા કાઢવામાં આવેલ રેલી




ગામના  ગોંદરે  મતદારો માં જાગૃતિ લાવવા શેરી  નાટકો કરતા બાળકો



 
બાળકોનું નાટક નિહાળી રહેલ શાળાના આચાર્ય  શ્રી એસ. આર. દવે  તેમજ બી. એલ. ઓ. શ્રી આર. એમ. પટેલ. તેમજ ગ્રામજનો




Sunday, December 9, 2012

postal vote


ટપાલ મતપત્ર

જે મિત્રોને ટપાલથી મતપત્ર મળેલ છે તેમને નીચે મુજબની પ્રક્રિયા કરવાની છે.

  1. તમને જે કવર મળ્યું છે. તેમાં એક એકરારનામું હશે તેમાં જરૂરી વિગતો જેમ કે તમારું નામ સહી ,ઓળખ આપનારનું નામ અને સહી વગેરે વિગતો ભરી ત્યારબાદ કોઈપણ ગેઝેટેડ અધિકારી ( વર્ગ - ૨ ) નાં અધિકારી પાસે એકરાર માં સહી કરાવવી.
  2. ત્યારબાદ તમને જે બેલેટ પેપર આપવામાં આવ્યું છે તેમાં તમારે જેને મત આપવો છે તેમના નામ ની આગળ ખરાની નિશાની કરવી. અને આ મતપત્રને નાના ગુલાબી રંગના કવરમાં નાખી ગુંદર વડે બંધ કરી દો.
  3. ત્યારબાદ એકરારનામું અને નાનું ગુલાબી કવર આ બંનેને મોટા ગુલાબી રંગના કવરમાં મૂકીને ગુંદર લગાવી દો.
  4. આ મોટા ગુલાબી કવરને પોસ્ટ ઓફીસના પોસ્ટ બોક્ષમાં નાખી દો. ટીકીટ લગાવવાની જરૂર નથી. ફ્રી માં તમારો મત પહોચી જશે.  
  5. મિત્રો મત જરૂરથી આપશો...............


Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?


Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?


  1. PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની  નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની 
  2. PO 2  17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે. અને ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું તેના છેલ્લા ૫ નંબર લખશે.
  3. PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )


આચાર સહિતનો ભંગ થતો હોવાથી આપના ગામ છેલ્લા સમયે કદાચ બદલાયી પણ શકે છે.

ચૂંટણી ફરજ માટેનાં  તમારા ગામનું નામ શોધો.

પહેલા નીચેની લીંક પર ક્લિક કરો.


Click here........................


પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ ગામનું લીસ્ટ ખુલશે.
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. 02/011/00164 તેમાં ૦૨ એ જિલ્લાનો કોડ છે. ૦૨ - બનાસકાંઠા ,૦૧૧ એ તાલુકાનો કોડ છે. ૧૧- વડગામ અને ૦૦૧૬૪ એ ગામનો કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૦૧૬૪ માં કયું ગામ છે.


Tuesday, December 4, 2012

સુવિચાર


સુવિચાર ;-

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
ડબલ્યુ એમ. ઈવાર્ટસ
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
ચાણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
ખલીલ જિબ્રાન
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
જે. કૃષ્ણમૂર્તિ

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
બબાભાઈ પટેલ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
થોમસ પેઈન
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
લાઈટૉન
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
ફાધર વાલેસ
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
સંત તુલસીદાસ
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
વિનોબાજી
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
શ્રી મોટા
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
શેખ સાદી
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
ગોનેજ
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
સ્વેટ માર્ડન
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
ધૂમકેતુ
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
ગોલ્ડ સ્મિથ
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
પ્રેમચંદ
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
રવીન્દ્રનાથ
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
રહીમ
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
ગાંધીજી
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
કાંતિલાલ કાલાણી
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
મધર ટેરેસા
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
ફાધર વાલેસ
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
રવીન્દ્રનાથ ટાગોર
તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
રાજેશ વ્યાસ મિસ્કીન
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
એડવિંગ ફોલિપ
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
મોરારજી દેસાઈ
હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
ચાલટેન હેસ્ટન
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
ડૉ. રાઘાકૃષ્ણન
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
લોકમાન્ય ટિળક
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
ધૂમકેતુ
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
જોન ફ્લેયર
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.

Monday, December 3, 2012

Thursday, November 29, 2012


નદીમાં નિર્મળતા ન હોય તો તે નદીની કિંમત શું? ફળમાં મધુરતા ન હોય તો તે ફળની કિંમત શું? ફુલમાં સુંગધ ન હોય તો તે ફૂલની કિંમત શું? જીવનમાં સહનશીલતા અને ધીરજ ના હોય તો તે જીવનની કિંમત શું?

gulab


ગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,
પવન ની જેમ શીતળતા રેલવતા રહો,
મળ્યુ છે અમુલ્ય માનવજીવન,
સદા હસતા રહો ને હસાવતા રહો,

Tuesday, November 20, 2012

Facebook chating

આપની જોડે ગણી વખત એવું બને છે કે onalain  થતાની સાથે જ ગણી વ્યક્તિઓ જોડે ઈચ્છા ન હોય તો પણ  વાત કરવી પડે છે, માટે આ મુશ્કેલી થી બચવા માટે જોવો અહી ......


ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ફેસબુક પેજ પર ઓનલાઇન થયા પછી ચેટિંગ પ્રક્રિયામાં રાઇટ પેનલમાં આખી યાદી આવી જાય છે. તેમાંથી ઓનલાઇન યુઝરની સામે ગ્રીન રંગનું બટન દેખાય છે. બાકીનાં નામની સામે લાલ કે ગુલાબી રંગનું નિશાન દેખાય છે. જો તમારે પસંદગીનાં લોકો સાથે જ ચેટિંગ કરવું છે તો ઓફલાઇન ચેટિંગ સૌથી સારો વિકલ્પ છે.


ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ઓફલાઇન ચેટિંગની બે રીતો છે. તેમાંથી પહેલી છે પેનલની નીચે આપેલું સેટિંગનું ઓપ્શન, તેના પર ક્લિક કરીને તમે બધા યુઝર્સ માટે ઓફલાઇન થઇ શકો છો. બીજી બાજુ જેની સાથે તમે ચેટ કરવા માગો છો તેમના માટે ઓનલાઇન રહીને ચેટિંગ કરી શકો છો.

ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

બીજી રીત એ છે કે જે વ્યક્તિ માટે તમે ઓફલાઇન થવા માગો છો, તેનાં ચેટિંગ પેનલને ઓપન કરીને સેટિંગમાં જઇ ઓફલાઇન ઓપ્શન પસંદ કરી શકો છો.

ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ચેટિંગમાં પ્રાઇવસી બનાવી રાખવા માટે તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર ઉપરાંત અલગ અલગ લિસ્ટ બનાવી શકો છો. તેમાં તમે રાતનાં સમયે ફેમિલી મેમ્બરને જ ચેટ માટે બોલાવી શકો છો. બાકીની લિસ્ટને સેટિંગમાં જઇને ઓફલાઇન કરી શકો છો. બીજી બાજુ જો તમે રાત્રે ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરવા માગો છો તો ફેમિલી મેમ્બર્સને પણ ચેટ પર થોડા સમય માટે બ્લોક કરી શકો છો.


Monday, November 19, 2012

ide netsater unlok tools


      સૌ પ્રથમ તમારા usb modem ને તમારા p c સાથે કનેક્ટ કરો.કનેક્ટ કરતા જ ,મોડેમનુ એક સોફ્ટવેર install થવા માટે ખુલશે,જેને install કરી લો.
      હવે,અહિયાથી એક સોફ્ટવેર ડાઉનલોડ  કરો જે તમારા usb modem નો  unlock કોડ અને ફ્લેશ કોડ બતાવશે...
સોફ્ટવેર 






           હવે તમારા idea usb modem ને એક વાર disconnect કરી ફરીથી pc માં connect કરો.હવે ઉપર બતાવેલ સોફ્ટવેર ખોલો અને ઉપરના ચિત્રમાં બતાવેલ જગ્યામાં તમારા usb modem નો IMEI નંબર દાખલ કરો.ત્યાર બાદ CALCULATE બટન પર ક્લિક કરો..થોડી વર્માજ આ સોફ્ટવેર તમારા USB MODEM નો UNLOCK CODE અને FLASH CODE દર્શાવશે જેને સાચવી લો.
          હવે તમારે એક બીજા સોફ્ટવેરની જરૂર પડશે.જે તમે નીચે ક્લિક કરી ડાઉનલોડ કરી લો.
સોફ્ટવેર 




(અ)  આ સોફ્ટવેરને રન કરો.સૌથી પહેલા તે તમારા PC માં CONNECT કરેલા USB MODEM ને શોધશે.જયારે તેની આ શીધ પૂરી થઇ જશે ત્યારે તે તમારી પાસે પાસવર્ડ માગશે.જેમાં તમારે અગાઉના સોફ્ટવેર માં મળેલ ફ્લેશ કોડ ભરી દો.
(બ)  ફ્લેશ કોડ ભરીને આગળ વધો.થોડીવાર માં આ સોફ્ટવેર તમારા USB MODEM નું ફર્મવેર અપડેટ કરી દેશે.અને અપડેટ થતાજ અપડેટની ખબર તમને આપી દેશે.
(ક)  ફર્મવેર અપડેટની સુચના મળતાજ IDEA નું જે ચિહ્ન તમરા ડેશબોર્ડ પર બનેલું છે તેને રન કરો.રન કરતાજ તમારી પાસે અનલોક કોડ માગશે.આ તેજ કોડ છે જે તમે પહેલા સોફ્ટવેરમાં મેળવ્યો હતો.તે તેમ લખી ને આગળ વધો...
   તમારું USB MODEM હવે કોઈ પણ મોબઈલ સર્વિસ પ્રોવાઈડરનું સીમ ચલાવવા તૈયાર છે.........



Monday, November 12, 2012

HAPPY DIPAWLI





હે પરમપિતા પરમાત્મા !
આ પૃથ્વીના પ્રત્યેક જીવ વિષે મંગળ કામના હું
યાચું છું.
માંગવારી, ત્રાસવાદ, હિંસા અને
સ્વાર્થરૂપી રાક્ષસનો સંહાર હું યાચું છું.
મા-બહેન અને બેટીઓની સલામતી અને સન્માન હું
યાચું.
નેતાઓની દેશ પ્રત્યેની નિષ્ઠા અને
વાણીમાં નમ્રતા હું યાચું છું.
દેસની સુરક્ષા માટે
ઝઝુમી રહેલા જવાનોની સુરક્ષાને હું યાચું છું.
પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રની પ્રગતિ માટે કર્મ
કરે એવી ભાવના હું યાચું છું.
પ્રત્યેક યુવાન વ્યસનથી મુક્ત થઈને
સંસ્કૃતિની ગરિમાને ઊંચા શિખરે પહોંચાડે
એવી ભીખ યાચું છું.
॥ શુભ દીપોત્સવ ॥
॥ શુભ પ્રભાત ॥
॥ જય શ્રી કૃષ્ણ ॥
॥ જય ચામુંડા  માઁ ॥

suvakyo


:~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
:~> મારુ જીવન એજ મારો સંદેશ છે.
:~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
:~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
:~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
:~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
:~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
:~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
:~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
:~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
:~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
:~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છેલગની છે.
:~> બાળકોને શાબાશીપ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
:~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
:~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
:~> હું કદી શીખવતો નથીહું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
:~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
:~> તમે ન બોલો તમારા કામને બોલવા દો.
:~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
:~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
:~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
:~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
:~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
:~> દરેક બાળક એક કલાકાર છે.
:~> વિચાર કરતાં જ્ઞાન સારુ.
:~> બધુ જ પરિવર્તનશીલ છેકશું પણ સ્થિર રહેતું નથી,
:~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
:~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
:~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
:~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
:~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
:~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
:~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
:~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
:~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
:~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
:~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
:~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
:~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
:~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
:~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
:~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાનતે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
:~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
:~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
:~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
:~> આશા એક શમણાં જેવી છેજે ભાગ્ય જ ફળે છે.
:~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
:~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
:~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
:~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
:~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
:~> કરેલો યજ્ઞપડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
:~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
:~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
:~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
:~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
:~> જગતના અંધારા ફળે એ સૂર્યઉરના અંધારા ફળે એ ધર્મ.
:~> જેની પાસે ફક્ત પૈસા જ છેતે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
:~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
:~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
:~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
:~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
:~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
:~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
:~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
:~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
:~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
:~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
:~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
:~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
:~> જ્યાં બુધ્ધિ શાસન કરે છેત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
:~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
:~> ઇર્ષા આંધળી હોય છેતે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
:~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
:~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
:~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
:~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
:~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
:~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
:~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
:~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
:~> એક આંગણું આપોઆખું આભ નહિ માગું.
:~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
:~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
:~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છેગુલામી તેની શરમ છે.
:~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
:~> આજના વિચારો આવતી કાલે બોલો.
:~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
:~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
:~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
:~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
:~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
:~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
:~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
:~> માતા બાળકની શિક્ષાદિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
:~> બાળકો પ્રભુના પયગંબરો છે.
:~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
:~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
:~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
:~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
:~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
:~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
:~> માતા બાળકની શિક્ષાદિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
:~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
:~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
:~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
:~> સમય કિમતી છેપણ સત્ય તો એથી વધુ કિમતી છે.
:~> જે કંઇ શીખવવાની હિંમત કરે છેતેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
:~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
:~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
:~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
:~> સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.
:~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
:~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.
:~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
:~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
:~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
:~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.
:~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
:~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
:~> સફળતા મેળવવા ચિંતા નહીચિંતન કરો.
:~> આશા એક શમણાં જેવી છેજે ભાગ્ય જ ફળે છે.
:~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.
:~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
:~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
:~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
:~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
:~> કરેલો યજ્ઞપડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
:~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
:~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
:~> ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
:~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
:~> જગતના અંધારા ફળે એ સૂર્યઉરના અંધારા ફળે એ ધર્મ.
:~> જેની પાસે ફક્ત પૈસા જ છેતે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.
:~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
:~> વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
:~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
:~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
:~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.
:~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
:~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.
:~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
:~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
:~> સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.
:~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
:~> જ્યાં બુધ્ધિ શાસન કરે છેત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
:~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
:~> ઈર્ષા આંધળી હોય છેતે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
:~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
:~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
:~> સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
:~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
:~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
:~> જેને હારવાનો ડર છેતેની હાર નિશ્ચિત છે.
:~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.