સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, November 29, 2012


નદીમાં નિર્મળતા ન હોય તો તે નદીની કિંમત શું? ફળમાં મધુરતા ન હોય તો તે ફળની કિંમત શું? ફુલમાં સુંગધ ન હોય તો તે ફૂલની કિંમત શું? જીવનમાં સહનશીલતા અને ધીરજ ના હોય તો તે જીવનની કિંમત શું?

gulab


ગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,
પવન ની જેમ શીતળતા રેલવતા રહો,
મળ્યુ છે અમુલ્ય માનવજીવન,
સદા હસતા રહો ને હસાવતા રહો,

Tuesday, November 20, 2012

Facebook chating

આપની જોડે ગણી વખત એવું બને છે કે onalain  થતાની સાથે જ ગણી વ્યક્તિઓ જોડે ઈચ્છા ન હોય તો પણ  વાત કરવી પડે છે, માટે આ મુશ્કેલી થી બચવા માટે જોવો અહી ......


ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ફેસબુક પેજ પર ઓનલાઇન થયા પછી ચેટિંગ પ્રક્રિયામાં રાઇટ પેનલમાં આખી યાદી આવી જાય છે. તેમાંથી ઓનલાઇન યુઝરની સામે ગ્રીન રંગનું બટન દેખાય છે. બાકીનાં નામની સામે લાલ કે ગુલાબી રંગનું નિશાન દેખાય છે. જો તમારે પસંદગીનાં લોકો સાથે જ ચેટિંગ કરવું છે તો ઓફલાઇન ચેટિંગ સૌથી સારો વિકલ્પ છે.


ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ઓફલાઇન ચેટિંગની બે રીતો છે. તેમાંથી પહેલી છે પેનલની નીચે આપેલું સેટિંગનું ઓપ્શન, તેના પર ક્લિક કરીને તમે બધા યુઝર્સ માટે ઓફલાઇન થઇ શકો છો. બીજી બાજુ જેની સાથે તમે ચેટ કરવા માગો છો તેમના માટે ઓનલાઇન રહીને ચેટિંગ કરી શકો છો.

ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

બીજી રીત એ છે કે જે વ્યક્તિ માટે તમે ઓફલાઇન થવા માગો છો, તેનાં ચેટિંગ પેનલને ઓપન કરીને સેટિંગમાં જઇ ઓફલાઇન ઓપ્શન પસંદ કરી શકો છો.

ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ચેટિંગમાં પ્રાઇવસી બનાવી રાખવા માટે તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર ઉપરાંત અલગ અલગ લિસ્ટ બનાવી શકો છો. તેમાં તમે રાતનાં સમયે ફેમિલી મેમ્બરને જ ચેટ માટે બોલાવી શકો છો. બાકીની લિસ્ટને સેટિંગમાં જઇને ઓફલાઇન કરી શકો છો. બીજી બાજુ જો તમે રાત્રે ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરવા માગો છો તો ફેમિલી મેમ્બર્સને પણ ચેટ પર થોડા સમય માટે બ્લોક કરી શકો છો.


Monday, November 19, 2012

ide netsater unlok tools


      સૌ પ્રથમ તમારા usb modem ને તમારા p c સાથે કનેક્ટ કરો.કનેક્ટ કરતા જ ,મોડેમનુ એક સોફ્ટવેર install થવા માટે ખુલશે,જેને install કરી લો.
      હવે,અહિયાથી એક સોફ્ટવેર ડાઉનલોડ  કરો જે તમારા usb modem નો  unlock કોડ અને ફ્લેશ કોડ બતાવશે...
સોફ્ટવેર 






           હવે તમારા idea usb modem ને એક વાર disconnect કરી ફરીથી pc માં connect કરો.હવે ઉપર બતાવેલ સોફ્ટવેર ખોલો અને ઉપરના ચિત્રમાં બતાવેલ જગ્યામાં તમારા usb modem નો IMEI નંબર દાખલ કરો.ત્યાર બાદ CALCULATE બટન પર ક્લિક કરો..થોડી વર્માજ આ સોફ્ટવેર તમારા USB MODEM નો UNLOCK CODE અને FLASH CODE દર્શાવશે જેને સાચવી લો.
          હવે તમારે એક બીજા સોફ્ટવેરની જરૂર પડશે.જે તમે નીચે ક્લિક કરી ડાઉનલોડ કરી લો.
સોફ્ટવેર 




(અ)  આ સોફ્ટવેરને રન કરો.સૌથી પહેલા તે તમારા PC માં CONNECT કરેલા USB MODEM ને શોધશે.જયારે તેની આ શીધ પૂરી થઇ જશે ત્યારે તે તમારી પાસે પાસવર્ડ માગશે.જેમાં તમારે અગાઉના સોફ્ટવેર માં મળેલ ફ્લેશ કોડ ભરી દો.
(બ)  ફ્લેશ કોડ ભરીને આગળ વધો.થોડીવાર માં આ સોફ્ટવેર તમારા USB MODEM નું ફર્મવેર અપડેટ કરી દેશે.અને અપડેટ થતાજ અપડેટની ખબર તમને આપી દેશે.
(ક)  ફર્મવેર અપડેટની સુચના મળતાજ IDEA નું જે ચિહ્ન તમરા ડેશબોર્ડ પર બનેલું છે તેને રન કરો.રન કરતાજ તમારી પાસે અનલોક કોડ માગશે.આ તેજ કોડ છે જે તમે પહેલા સોફ્ટવેરમાં મેળવ્યો હતો.તે તેમ લખી ને આગળ વધો...
   તમારું USB MODEM હવે કોઈ પણ મોબઈલ સર્વિસ પ્રોવાઈડરનું સીમ ચલાવવા તૈયાર છે.........



Monday, November 12, 2012

HAPPY DIPAWLI





હે પરમપિતા પરમાત્મા !
આ પૃથ્વીના પ્રત્યેક જીવ વિષે મંગળ કામના હું
યાચું છું.
માંગવારી, ત્રાસવાદ, હિંસા અને
સ્વાર્થરૂપી રાક્ષસનો સંહાર હું યાચું છું.
મા-બહેન અને બેટીઓની સલામતી અને સન્માન હું
યાચું.
નેતાઓની દેશ પ્રત્યેની નિષ્ઠા અને
વાણીમાં નમ્રતા હું યાચું છું.
દેસની સુરક્ષા માટે
ઝઝુમી રહેલા જવાનોની સુરક્ષાને હું યાચું છું.
પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રની પ્રગતિ માટે કર્મ
કરે એવી ભાવના હું યાચું છું.
પ્રત્યેક યુવાન વ્યસનથી મુક્ત થઈને
સંસ્કૃતિની ગરિમાને ઊંચા શિખરે પહોંચાડે
એવી ભીખ યાચું છું.
॥ શુભ દીપોત્સવ ॥
॥ શુભ પ્રભાત ॥
॥ જય શ્રી કૃષ્ણ ॥
॥ જય ચામુંડા  માઁ ॥

suvakyo


:~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
:~> મારુ જીવન એજ મારો સંદેશ છે.
:~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
:~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
:~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
:~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
:~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
:~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
:~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
:~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
:~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
:~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છેલગની છે.
:~> બાળકોને શાબાશીપ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
:~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
:~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
:~> હું કદી શીખવતો નથીહું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
:~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
:~> તમે ન બોલો તમારા કામને બોલવા દો.
:~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
:~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
:~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
:~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
:~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
:~> દરેક બાળક એક કલાકાર છે.
:~> વિચાર કરતાં જ્ઞાન સારુ.
:~> બધુ જ પરિવર્તનશીલ છેકશું પણ સ્થિર રહેતું નથી,
:~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
:~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
:~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
:~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
:~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
:~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
:~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
:~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
:~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
:~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
:~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
:~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
:~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
:~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
:~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
:~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાનતે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
:~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
:~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
:~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
:~> આશા એક શમણાં જેવી છેજે ભાગ્ય જ ફળે છે.
:~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
:~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
:~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
:~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
:~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
:~> કરેલો યજ્ઞપડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
:~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
:~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
:~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
:~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
:~> જગતના અંધારા ફળે એ સૂર્યઉરના અંધારા ફળે એ ધર્મ.
:~> જેની પાસે ફક્ત પૈસા જ છેતે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
:~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
:~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
:~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
:~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
:~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
:~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
:~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
:~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
:~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
:~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
:~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
:~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
:~> જ્યાં બુધ્ધિ શાસન કરે છેત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
:~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
:~> ઇર્ષા આંધળી હોય છેતે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
:~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
:~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
:~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
:~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
:~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
:~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
:~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
:~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
:~> એક આંગણું આપોઆખું આભ નહિ માગું.
:~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
:~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
:~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છેગુલામી તેની શરમ છે.
:~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
:~> આજના વિચારો આવતી કાલે બોલો.
:~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
:~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
:~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
:~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
:~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
:~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
:~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
:~> માતા બાળકની શિક્ષાદિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
:~> બાળકો પ્રભુના પયગંબરો છે.
:~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
:~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
:~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
:~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
:~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
:~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
:~> માતા બાળકની શિક્ષાદિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
:~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
:~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
:~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
:~> સમય કિમતી છેપણ સત્ય તો એથી વધુ કિમતી છે.
:~> જે કંઇ શીખવવાની હિંમત કરે છેતેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
:~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
:~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
:~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
:~> સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.
:~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
:~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.
:~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
:~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
:~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
:~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.
:~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
:~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
:~> સફળતા મેળવવા ચિંતા નહીચિંતન કરો.
:~> આશા એક શમણાં જેવી છેજે ભાગ્ય જ ફળે છે.
:~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.
:~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
:~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
:~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
:~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
:~> કરેલો યજ્ઞપડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
:~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
:~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
:~> ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
:~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
:~> જગતના અંધારા ફળે એ સૂર્યઉરના અંધારા ફળે એ ધર્મ.
:~> જેની પાસે ફક્ત પૈસા જ છેતે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.
:~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
:~> વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
:~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
:~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
:~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.
:~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
:~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.
:~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
:~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
:~> સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.
:~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
:~> જ્યાં બુધ્ધિ શાસન કરે છેત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
:~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
:~> ઈર્ષા આંધળી હોય છેતે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
:~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
:~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
:~> સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
:~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
:~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
:~> જેને હારવાનો ડર છેતેની હાર નિશ્ચિત છે.
:~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.