સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, December 28, 2012

પતિ પત્ની નો ઝગડો


જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે,
કેવા શબ્દો બોલે…?
….
પાઈલટની પત્ની….હવામાં જ ઊડ્યા કરો તમે….
મિનિસ્ટરની પત્ની….તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….
શિક્ષકની પત્ની….મને નહીં શીખડાવો….
રંગારીની પત્ની….થોબડું રંગી નાખીશ….
ધોબીની પત્ની….બરાબરની ધુલાઈ કરી નાખીશ….
સુથારની પત્ની….ઠોકીને સીધા કરી દઈશ….
તેલના વેપારીની પત્ની…તો તેલ લેવા જાવ….
દરજીની પત્ની….મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….
અભિનેતાની પત્ની….હવે નાટક બંધ કરો….
રેલવે ડ્રાઈવરની પત્ની….આવી ગઈને ગાડી લાઈન પર?….
કોમ્પ્યુટર એન્જિનિયરની પત્ની…તને ડિલીટ કરી નાખીશ…
ડેન્ટિસ્ટની પત્ની….દાંત તોડીને હાથમાં આપી દઈશ…

મફતમાં મળે છે


મફતમાં મળે છે 
પાણી ની માફક પૈસા વાપરનારને – મિત્રો મફત માં મળે છે.
સાસુને નણંદની સાથે રહેનાર વહુ ને – ઝગડા મફતમાં મળે છે.
કોલસા બાળનારને – રાખ મફતમાં મળે છે.
ઠોકર ખાનારને – જમીનનું ચુંબન મફતમાં મળે છે.
નેતા પાસેથી ભાષણ-સલાહ-સૂચનો – મફતમાં મળે છે.
પાંચ રૂપિયાની સિંગ ખરીદનારને એક કાગરનો ટુકડો – મફતમાં મળે છે.
ભૂલ કરનારને સલાહ – મફતમાં મળે છે
ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કરનારને નામોશી – મફતમાં મળે છે.
અન્ના હઝારેને સાથ આપનારને હેરાનગતિ – મફતમાં મળે છે.
–Added by Megha Mukta –
રાતે અંધારું – મફતમાં મળે છે
દિવસે પ્રકાશ – મફતમાં મળે છે
શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ – મફતમાં મળે છે.
વુક્ષનો છાયડો – મફતમાં મળે છે.
–Added  by Parshwa –
માં બાપ ના સંસ્કાર – મફતમાં મળે છે
ગુરુ પાસે થી વિધ્યા– મફતમાં મળે છે
સાચા મિત્ર પાસે થી મિત્રતા – મફતમાં મળે છે

મિત્ર


હજી થોડાક એવા મીત્ર છે - અનિલ ચાવડા



ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મીત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

પ્રથમ તો ફોસલાવીને મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને,
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.
કર્મના લેખા જોખા


તારો કી જ્યોત મેં ચંદ્ર છુપે નહિ
સૂર્ય છુપે નહિ બાદલ છાયો
રણ ચડ્યો રજપૂત છુપે નહિ
દાતા છુપે નહિ માંગન આયો
ચંચલ નારી કે નૈન છીપે નહિ
પ્રીત છુપે નહિ પીઠ દિખાયો
કવિ ગંગ કહે સુન શાહ અકબર
કર્મ છુપે નહિ ભભૂત લગાયો
- કવિ ગંગ.

માતા પિતા



માં બાપનું ઋણ..........
જીવતા/હયાત માતા પિતાની છત્ર છાયામાં, વ્હાલપનમાં બે વેણ બોલીને નીરખી લેજો
હોઠ અડધા બિડાય ગયા પછી , ગંગાજળ મૂકીને શું કરશો …..
અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક વાર ભેટી લેજો
જીવતા/હયાત નહિ હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો ……
કાળની થાપટ વાગશે અલવિદા એ થઇ જશે, પ્રેમાણ હાથ પછી તમારા પર કદી નહિ ફરે
લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહિ મળે ,પછી દિવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો ……
માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે ,અડસઠ તીરથ તેના ચરણોમાં , બીજા તીરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલાં વીણીને શું કરશો …….
જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો ,
પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ……..
પૈસા ખર્ચતા સગળું મળશે , માબાપ નહિ મળે ,ગયો સમય નહિ આવે લાખો કમાયને શું કરશો
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહિ મળે તો આંસુ સારીને શું કરશો………

સવાલ જવાબ


જીંદગીમાં ઉપયોગી કેટલાક સવાલના જવાબ...........
સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.
સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!
સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.
સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.
સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.
સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.
સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા
સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.
સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક
સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ
સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.
સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા
સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ
સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ
સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.
સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?
સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.

Thursday, December 27, 2012

રમતોત્સવ

ખેંગરપુરા  સી.આર. સી. નો સી.આર. સી.કક્ષાનો રમતોત્સવ ભીમપુરા મુકામે યોજાયો જેમાં સેન્ટરની દરેક શાળા ના બાળકો તેમજ શિક્ષક મિત્રો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો ...


બાળકોને પ્રોત્સાહન પૂરું પડી રહેલા ભીમપુરા શાળાના શિક્ષક શ્રી શિવરામભાઈ .........................



રમતોત્સવ  માં  નિર્ણાયક ની ભૂમિકા ભજવનાર શિક્ષક મિત્રો  જેમાં કૌશિકભાઈ, હું પોતે ધવલભાઈ, રાહુલભાઈ, તેમજ ભીમપુરા શાળાના શિવરામભાઈ......


પંચ કાર્ય કરનાર શ્રી વિરેન્દ્રભાઈ, સડાતસાહેબ, તેમજ રમણભાઈ ખાંટ ................

કબ્બડી ની રમત રમતા દિદરડા તેમજ સપોર્ટ ગણવેશમાં સજ્જ  ભીમપુરા શાળાના બાળકો

પધારેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી રહેલ યજમાન શાળા ના યુવા મુ.શિ. શ્રી નબીરભાઈ....


બાલિકાઓ દ્વારા કરવામાં આવેલ યોગાસનો..................


શીર્ષાસન કરી રહેલ યોગસનું ઉતમ ઉદાહરણ પૂરું પાડનાર દિદરડા  શાળાના શિક્ષક રાહુલભાઈ....


પધારેલ મહેમાનોમાંથી બાળકોને બાળકોને પ્રોત્સાહન તેમજ ઉષ્મા પૂરી પડી રહેલ ઉદરાના સી.આર. સી. શ્રી સુરેશભાઈ દવે સાહેબ.............


અભાર..........................

Wednesday, December 19, 2012


સાચી કેળવણી :

જે સ્વ-ની ઓળખ કરાવે.
સંકટમાંથી માર્ગ શોધી આપે.
દુ:ખમાં જીવતાં શીખવે.
બીજાને સુખ આપે.
વિનયી બનાવે.
પોતાનામાં રહેલા ક્રોધ અને અહંકારને દૂર કરે
આત્મબળ વધારે.
જીવનને પ્રકાશીત કરે.
સ્થિરતા પ્રદાન કરે.
અન્યાય સામે આવાજ ઉઠાવે.
પોતાનામાં આત્મવિશ્વાસ જગાવે.
કોઈ પણ કાર્યને પૂર્ણતા તરફ દોરે.
દેશ અને સમાજમાં માન-સન્માન અપાવે.
અને જીવનના અંત પછી પણ તેની કિર્તી ચારે
બાજું ફેલાવે.

॥ સૂપ્રભાતમ્ ॥
॥ જય શ્રી કૃષ્ણ ॥

Monday, December 10, 2012


જાગો મતદાર જાગો

જાગો મતદાર જાગો કાર્યક્રમ અંતર્ગત શાળા બાળકો દ્વારા કાઢવામાં આવેલ રેલી




ગામના  ગોંદરે  મતદારો માં જાગૃતિ લાવવા શેરી  નાટકો કરતા બાળકો



 
બાળકોનું નાટક નિહાળી રહેલ શાળાના આચાર્ય  શ્રી એસ. આર. દવે  તેમજ બી. એલ. ઓ. શ્રી આર. એમ. પટેલ. તેમજ ગ્રામજનો




Sunday, December 9, 2012

postal vote


ટપાલ મતપત્ર

જે મિત્રોને ટપાલથી મતપત્ર મળેલ છે તેમને નીચે મુજબની પ્રક્રિયા કરવાની છે.

  1. તમને જે કવર મળ્યું છે. તેમાં એક એકરારનામું હશે તેમાં જરૂરી વિગતો જેમ કે તમારું નામ સહી ,ઓળખ આપનારનું નામ અને સહી વગેરે વિગતો ભરી ત્યારબાદ કોઈપણ ગેઝેટેડ અધિકારી ( વર્ગ - ૨ ) નાં અધિકારી પાસે એકરાર માં સહી કરાવવી.
  2. ત્યારબાદ તમને જે બેલેટ પેપર આપવામાં આવ્યું છે તેમાં તમારે જેને મત આપવો છે તેમના નામ ની આગળ ખરાની નિશાની કરવી. અને આ મતપત્રને નાના ગુલાબી રંગના કવરમાં નાખી ગુંદર વડે બંધ કરી દો.
  3. ત્યારબાદ એકરારનામું અને નાનું ગુલાબી કવર આ બંનેને મોટા ગુલાબી રંગના કવરમાં મૂકીને ગુંદર લગાવી દો.
  4. આ મોટા ગુલાબી કવરને પોસ્ટ ઓફીસના પોસ્ટ બોક્ષમાં નાખી દો. ટીકીટ લગાવવાની જરૂર નથી. ફ્રી માં તમારો મત પહોચી જશે.  
  5. મિત્રો મત જરૂરથી આપશો...............


Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?


Election માં કયા નંબરના કર્મચારીએ કયું કામ કરવાનું ?


  1. PO 1 પાસે મતદારની ઓળખ અને ફોટાવાળી માર્ક કોપી રહેશે. પુરુષનાં નામની  નીચે લીટી કરવાની અને સ્ત્રીના નામની આગળ ખરાની નિશાની કરવાની 
  2. PO 2  17 - ક માં નોંધ કરશે, સહી લેશે અને ડાબા હાથની પહેલી આંગળી પર નખથી લઈને પહેલા વેઢા સુધી નિશાની કરવાની રહેશે. અને ક્યાં આધાર પુરાવા વડે વોટિંગ કર્યું તેના છેલ્લા ૫ નંબર લખશે.
  3. PO 3 મતદાર પાસેથી કાપલી લઈને બેલેટ ઈસ્સ્યુ કરશે. ( મહિલા કર્મચારી )


આચાર સહિતનો ભંગ થતો હોવાથી આપના ગામ છેલ્લા સમયે કદાચ બદલાયી પણ શકે છે.

ચૂંટણી ફરજ માટેનાં  તમારા ગામનું નામ શોધો.

પહેલા નીચેની લીંક પર ક્લિક કરો.


Click here........................


પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ ગામનું લીસ્ટ ખુલશે.
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. 02/011/00164 તેમાં ૦૨ એ જિલ્લાનો કોડ છે. ૦૨ - બનાસકાંઠા ,૦૧૧ એ તાલુકાનો કોડ છે. ૧૧- વડગામ અને ૦૦૧૬૪ એ ગામનો કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૦૧૬૪ માં કયું ગામ છે.


Tuesday, December 4, 2012

સુવિચાર


સુવિચાર ;-

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
ડબલ્યુ એમ. ઈવાર્ટસ
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
ચાણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
ખલીલ જિબ્રાન
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
જે. કૃષ્ણમૂર્તિ

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
બબાભાઈ પટેલ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
થોમસ પેઈન
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
લાઈટૉન
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
ફાધર વાલેસ
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
સંત તુલસીદાસ
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
વિનોબાજી
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
શ્રી મોટા
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
શેખ સાદી
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
ગોનેજ
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
સ્વેટ માર્ડન
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
ધૂમકેતુ
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
ગોલ્ડ સ્મિથ
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
પ્રેમચંદ
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
રવીન્દ્રનાથ
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
રહીમ
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
ગાંધીજી
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
કાંતિલાલ કાલાણી
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
મધર ટેરેસા
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
ફાધર વાલેસ
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
રવીન્દ્રનાથ ટાગોર
તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
રાજેશ વ્યાસ મિસ્કીન
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
એડવિંગ ફોલિપ
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
મોરારજી દેસાઈ
હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
ચાલટેન હેસ્ટન
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
ડૉ. રાઘાકૃષ્ણન
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
લોકમાન્ય ટિળક
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
ધૂમકેતુ
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
જોન ફ્લેયર
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.

Monday, December 3, 2012