સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Saturday, June 22, 2013

ક્ષણનો સાક્ષાત્કાર

ક્ષણનો સાક્ષાત્કાર...!!

તમે તમારી પાછળ કયો વારસો મૂકી જાશો ?
વર્તમાન જીવનનાં અંત પછી આ ધરતી પર શું મૂકી જાશો ?
આ વાસ્તવ જગતમાં તમારી ઉપસ્થિતિ ના હોય અને છતાં આ જ જગતમાં તમારું શું ટકશે ?
જમીન-જાયદાદ, બંગલો કે ધનસંપત્તિ અથવા તો મુલ્યવાન ઘરેણા વારસામાં આપતા જશો ?
વસ્તુ રૂપે આપેલો વારસો ત્યાં સુધી જ જીવંત હોય છે, જ્યાં સુધી એ હસ્તાંતરિત થાય નહીં.
એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે કે એક હાથમાંથી બીજા હાથ પાસે ગયા, એટલે સઘળું તમારું રહેતું નથી. જમીન કે બંગલો બીજા પાસે જશે એટલે એ તમારા નહીં રહે.
હકીકતમાં જિંદગીમાં વ્યક્તિ એ એક એવો હકારાત્મક (Positive) વારસો આપીને જવાનું છે કે જે અન્ય વ્યક્તિના સદાય સ્મરણમાં રહે. સામાન્યરીતે એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિને મળીયે અને બીજી જ ક્ષણે એને ભૂલી જઈએ છીએ, પરંતુ કોઈ એવી પણ વ્યક્તિ મળે છે કે થોડીવાર મળી હોય તો પણ જીવનભર એની દ્રષ્ટિ, એના વિચાર યાદ રહી જાય. એ વ્યક્તિત્વ આપણા દિલ-ઓ-દિમાગમાં એવી રીતે સમાઈ જાય કે જીવનનાં છેલ્લા શ્વાસ સુધી એ યાદ રહી જતું હોય છે.
આપણા જીવનમાં કોઈ ને કોઈ તો એવું મળ્યું જ હોય છે જે આપણને આવી રીતે યાદ રહી ગયું હોય.
તેનું કારણ સમજાય છે ??
કારણ છે એનો જીવન પ્રત્યે નો હકારાત્મક ભાવ.
એ આપી રહ્યા છે પોતાનો હકારાત્મક વારસો.
અને આપણા દિલ-ઓ-દિમાગમાં જે છાવાઈ ગયું હોય એ છે "તે વ્યક્તિનું હકારાત્મક વ્યક્તિત્વ"...
આપણા જીવનમાં આપણને મળતી દરેક વ્યક્તિ ને આપણે એવી રીતે મળીયે કે આપણે પણ સામે વાળી વ્યક્તિના દિલ-ઓ-દિમાગમાં છવાઈ જઈએ.
અફકોર્સ આપણે બધાય એવું ઇચ્છતા જ હોઈએ.
પણ એ માટે કરવું શું ??
સિમ્પલ છે,
તમે જ્યારે જીવન પ્રત્યે સંપૂર્ણ પણે હકારાત્મક વલણ ધરાવતા થઇ જાઓ પછી જે પણ વ્યક્તિને મળો ત્યારે એવીરીતે મળો કે એ સામે વાળી વ્યક્તિ તમારા પ્રેમ ભર્યા વર્તાવને યાદ રાખે,
તમે એના દુઃખોને શાંતિથી સાંભળ્યા હોય તો એનું સ્મરણ કરે,
એની વેદના જાણીને આશ્વાસન આપ્યું હોય કે કપરે સમયે મદદ કરી હોય તો તેને યાદ કરે.
આમ તમે જે કાઈ  કામ કરતા હો, તેની સાથે તમારી પોઝિટીવ એનર્જી નો સામેની વ્યક્તિને અનુભવ થવો જોઈએ. આ પોઝિટીવ એનર્જી વ્યક્તિને અધ્યાત્મ સાથે જોડે છે.
અને તમે એ વ્યક્તિ ને આપેલો આવો વારસો સમય જતા એના માટે અત્યંત મુલ્યવાન આધ્યાત્મિક વારસો બની રહે છે.
થોડું કહ્યું છે,
ઘણું કરીને વાંચશો...
.
આભાર.

No comments:

Post a Comment