સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, September 16, 2012


અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં

મારે મહી વેચવાને જાવાં
મહિયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી

નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો

ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વારો

દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,મહિયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી

ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા, મહિયારા રે… ગોકુળ ગામનાં

 - નરસિંહ મહેતા



નાગર નંદજીના લાલ !
રાસ રમંતા મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતા મારી નથડી ખોવાણી... નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા મોતી,
નથણી કારણ નિત્ય ફરું જોતી જોતી ... નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા... નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલાં ખાય... નાગર નંદજીના લાલ !
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર... નાગર નંદજીના લાલ !
નથણી કારણે મેં તો ઢૂંઢ્યું છે વૃંદાવન,
નથણી આપો ને મારા તમે પ્રાણજીવન ... નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર... નાગર નંદજીના લાલ !
 - નરસિંહ મહેતા

No comments:

Post a Comment