સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Wednesday, September 26, 2012


THURSDAY, AUGUST 12, 2010

પ્રાર્થના......માંગવુ........(સંકલિત)

૧૨ .૦૮.૨૦૧૦ પ્રાર્થના




“પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.”
સાક્ષાત્કારની ક્ષણે ભગવાન માંગવાનું કહે છે ત્યારે તે પણ ભક્ત ની કસોટી જ કરતા હોય છે.ભક્ત ધન, વૈભવ કે બીજું કંઈ માગે છે---નરસિંહ ને માંગતા આવડે છે- તે માંગેછે----
દેવોને દુલૅભ ,તમોને વલ્લભ ,આપો તે દયા આણી રે,
ભગવાન મહેતાજી ને રાસ લીલા નાં દશૅને લઈ જાય છે.
સામાન્ય રીતે મંદિર માં આપણે ભક્ત તરીકે નહી યાચક થઈ ને જ જઈએ છીએ,મંદિર માં આપણે પ્રાથૅના નહી યાચના જ કરતા હોઈએ છીએ. “મંદિર બહાર ભીખારી માંગે,મંદિર અંદર હું...... ’ યાચના કરીએ તો પણ શું માંગવું તેના પર જુદા જુદા સાક્ષરો ની પંક્તિઓ અહીં પ્રસ્તુત કરેલ છે.
“બસ એટલી જ સમજ ઓ પરવરદિગાર દે,
સુખ જયાં મળે જયારે મળે , બધા નો વિચાર દે.”

“ત્રણ વાનાં મુજ ને મળ્યાં,હૈયુ,મસ્તક,હાથ,
બહુ દઈ દીધું નાથ, જા...ચોથું નથી માંગવુ.”.......ઉમાશંકર જોશી

માંગવાનુ કહેછે,તો માગું છુ,હે પભુ,દઈ દે મન એવું,જે માગે ના કદિ કશું.......વિપિન પરીખ

અમે કયાં સૂયૅ માંગ્યો છે,ધન્ય છે જો કોડિયું ઝળહળે તો.

અમે એ આંખ ઝંખી કે, વસી જ્યાં નેક નિમૅળતા,
શિશુ ના સ્મિત ઝંખ્યાં કે, રચી જ્યાં ઈશ્વરી મમતા.

બે હાથ મારા ઉઠાઉં તો,તારી ખુદાઈ દુર નથી,
પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજુર નથી.

ખુદા તારી ખુદાઈ નું,મને હરદમ દરશ દેજે,
નિહાળું રુપ તારું, એવા નયન દેજે.

જગત ના ઉપવને હું તો,પ્રભુ,માગું તો શુ માગું?
સફર મહેકાવવા છલ્લી, ફક્ત થોડાં સુમન દેજે.

ખુદા તારે ખજાને ખોટ ક્યાં છે ?આટલું કરજે,
ભૂખ્યાં હો કે ઉઘાડા ને,ફકત દાણાં-ગવન દેજે.

સાંઈ ઈતના દીજીયે, તામે કુટુંબ સમાય,
મૈ ભી ભુખા ના રહું, સાધુ ના ભુખા જાય.

તમારી મુતિô વિના મારા નાથ રે,બીજું મને આપશો માં,
હું તો માંગુ બે બે હાથ જોડી રે, બીજું મને આપશો માં,

હે,પ્રભુ,
મારા ખભા પર,
જે બદલી શકાય તે બદલવાનું મને બળ અને હિંમત આપજે,
જે બદલી ના શકાય તે ભોગવી લેવાની ધીરજ અને શકિત આપજે,
હે પ્રભુ, આ બે વચ્ચેનો ભેદ પરખવાનું ડહાપણ,બુધ્ધિ અને વિવેક આપજે.

કોઈ ઈચ્છા નું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે- હવે એ પણ ન હો.

ખુશી દેજે જમાનાને,મન હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન,મને વેરાન વન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો,
હું પારખું પાપ ને મારાં મને એવાં નયન દેજે.

માફ કરજો ઓ મનુષ્યો હું નહી માંગુ મદદ,
એ નહી તો મારા પાલનહારનું અપમાન છે.

જગત સામે લડું છુ તારી મદદ માંગી,
હું જો હારીશ તો એ હાર તારી હાર થઈ જાશે.

આપી શકે તો............
આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્રદય થી સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ
રોકડ છે હિસાબ હું ક્યાં ઉધાર માગું છું.

કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાથૅના મારી,
વિપદ થી ના ડરું કો, દિ પ્રભુ એ પ્રાથૅના મારી.

હે જગન્નાથë ! લંબાવી ને હાથ,માગું તારો સાથ !
રસ્તાઆ તો આડાઅવળા !અહીં ખાડા તો પણે ટેકરા !
ભૂલો પડું તે પહેલાં આવી ઝાલજે મારો હાથ !હે જગન્નાથë ! -----સ્નેહ રશ્મિ
માગી માગી ને પ્રભુ પાસે મેં માંગ્યુ એવું, મારુ મૃત્યુ મારે જોવું છે ઘડીભર ને માટે,
મને શંકા છે કે અશ્રુ નહી સારે કોઈ,મારા શબ પર મારે રોવું છે ઘડીભર ને માટે----યુસુફ બુકવાલા.
સ્મરણશકિત કરી દે એટલી નબળી પ્રભુ મારી,
મને મારા વિતેલા દિવસો ની યાદ ના આવે,
અને મારા હ્રદય ને પણ કરી દેજે તું પથ્થર સમ,
કોઈ ઈચ્છા નવી જન્મે તો એનો સાદ ના આવે. ----યુસુફ બુકવાલા.

એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધીક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગાર -----હરિહર ભટ્ટ

No comments:

Post a Comment