સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Tuesday, September 11, 2012

vivekanand

જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી
તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી

જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી
તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા


જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી
તેણે મને અન્ય દુખી લોકો બતાવ્યા

પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી
તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા

પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા
તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું

પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી
તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું.

પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું
તેણે મને એ બધૂય આપ્યું જેની મને જરૂર હતી.

- સ્વામી વિવેકાનંદ...............

No comments:

Post a Comment